શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત નીમા મહિલા કૉલેજના આયોજન નીચે ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત બધીજ શૈક્ષણિક સંસ્થાઓનો નવરાત્રિ મહોત્સવ યોજાયો.
નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. નવરાત્રી એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા…