સંસ્થા પરિચય – મિશન અને વિઝન :-
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ….
પહેલાં મનુષ્યને પૂર્ણ બનાવો ….. રાષ્ટ્ર એની મેળે સંપૂર્ણ બની જશે.સાચુ શિક્ષણ તો એ જ છે કે, જે સાચા મનુષ્યનું નિર્માણ કરે છે અને સારા ચારિત્ર્યનું ઘડતર કરે છે.
- ૧૯૯૯ થી સતત આજ દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને “ બાળક બગીચાનું ફૂલ છે “ આવા સુંદર વિચારો સાથે શ્રીમતી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળા દિન –પ્રતિદિન ધીમેધીમે પ્રગતિના પંથે આગળ વધી રહી છે.
- વિદ્યાર્થીનો બાલ્યાકાળ સ્વર્ગથી પણ વધુ અગત્યનો છે.
- જે જ્ઞાનથી વ્યક્તિ અને સમાજનું કલ્યાણ સાધી શકાય એવું હકારાત્મક,રચનાત્મક, ઉપકારક, પરોપકારી, બિનસ્વાર્થ જ્ઞાન પીરસતી સંસ્થા એ જ અમારી જે.કે.પટેલ પ્રાથમિક શાળા. એ જ અમારી સંસ્થાના મૂલ્યનિષ્ઠ આચાર્યશ્રી તેમજ સત્યનિષ્ઠ શિક્ષિકા બહેનોનું મિશન અને વિઝન છે.
- પ્રગતિના પંથે ચાલી રહેલી અમારી સંસ્થા બદલાતા વિચારોમાં કદમ મિલાવી રહી છે. શાળામાં હાલ ધોરણ – ૧ થી ૫ ના કુલ ૧૦ વર્ગો ચાલે છે. શાળામાં આચાર્યશ્રી સાથે કુલ ૧૦ સારસ્વતોનો સ્ટાફ છે.
- “ શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી “
શ્રીમતી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળા – ગોઝારિયામાં બાળકોમાં સંસ્કારલક્ષી શિક્ષણની સાથે સાથે વિવિધ કૌશલ્યો અને ભાવાત્મક કેળવણી – સમાજ ઉપયોગી શિક્ષણના પાઠનું શિક્ષણ આપવામાં આવે છે. બાળકો ઉત્તમ સંસ્કારમય શિક્ષણ મેળવી પોતાના ભાવિ જીવનને ચારિત્રમય બનાવે એવી અપેક્ષા સાથે અમો અમારી શાળામાં નીચે મુજબની પ્રવૃતિઓ કરાવીએ છીએ.