શ્રાવણ માસના પુણ્યકાર્ય સ્વરૂપે નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની તમામ દિકરીઓને ભોજનદાનનું આયોજન કરાયું.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજમાં તા. 29/8/2018 ના રોજ શ્રાવણ માસના પુણ્યકાર્ય સ્વરૂપે કોલેજની તમામ દિકરીઓને ભોજનદાનનું આયોજન કરાયું. જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા અન્ય સંસ્થાઓના આચાર્યાશ્રીઓઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પર્વમાં અષ્ટ દશાબ્દી મહોત્સવના કન્વીનરશ્રી, કેમ્પસ નિયામકશ્રી, ભોજનદાતાશ્રીઓ તથા કોલેજના આચાર્યાશ્રી ગાયત્રીબેન બારોટે ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા. સાથે સાથે ભોજનદાતાશ્રીઓના ધર્મકાર્યને બિરદાવી આભાર માન્યો…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી યોજાઈ.

તા. ૨૮ ઓગષ્ટ એટલે રાષ્ટ્રિય શાયર ને મહાન સાહિત્યકાર, પ્રથમ રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ. આજ રોજ શાળાના પ્રાર્થનાખંડમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ અંતર્ગત પ્રખ્યાત વકતા શ્રી પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ ઠક્કર – થરા (ઉણ) ના વતનીએ મેઘાણી જીવન કવન વિશે ગાયકી દ્વારા સુંદર રજૂઆત કરી હતી. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે…

શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આજ રોજ વિદ્યાર્થીઓ તથા શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

રક્ષાબંધન પર્વ એટલે ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ,…

શ્રીમતી જે.કે.પટેલ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન ઉજવાઈ

રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી…

શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.