શ્રીમદ ભાગવત માં મહર્ષિ વ્યાસ એ “નમ: શિશુલ્ય: ” એમ કહી બાલ સ્વરૂપે દેવતુલ્ય ગણી બહુમાન કર્યું છે આ બાલ ગોપાળમાં કેળવણીનો ‘ક’ કંડારવા શ્રી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિર ની
1979 થી શરૂઆત કરવા માં આવી. ગામ નો વ્યાપ વધવાથી નાના બાળકો ને દૂર અભ્યાસ માટે જવું ના પડે. તે માટે દાતાશ્રીઓની સહાય થી બીજા બે બાલમંદિર ભવન બાંધી શકયા છે
જેમાં (૧) ટાવર પાસે ગં. સ્વ. મંગુબેન જેસંગદાસ શાહ બાલમંદિર ભવન અને (૨) બીજુ વાંટા વિભાગ માં ધી અમદાવાદ મર્કન્ટાઇલ કો.ઓ. બઁક બાલ મંદિર ભવનબંધવામાં આવેલ છે આ ગામ ના
ત્રણેય વિસ્તાર માં રમણીય ત્રણ બાલમંદિર ની સુવિધા ઉપલબ્ધ છે
ત્રણેય બાલ મંદિર માં મોન્ટેસરી ટ્રેઇન્ડ શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ આપવા માં આવે છે બાળકો ને પૌષ્ટિક નાસ્તો આપવા માં આવે છે તથા શૈક્ષણિક સાધનો દ્વારા બાળકો ને શિક્ષણ આપવામાં આવે છે . ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવા શૈક્ષણિક સાધનો વસવ્યા છે. બાળકો ને કક્ષા પ્રમાણે શિક્ષણ આપવામાં આવે છે.
બાળકો ને અંકલેખન ૧ થી ૧૦૦ સુધી તથા મૂળાક્ષર જ્ઞાન તથા અંગ્રેજી માં A થી Z તથા 1 થી 50 સુધી નું જ્ઞાન મળી રહે તે માટે બાળકો ને પુસ્તકો માં સ્વ અક્ષર એ ભરાવવામાં આવે છે.
બાલમંદિર માં સારા માઠા પ્રસંગો એ બાળકો ને જમાડવા નો તથા નાસ્તો આપવા નો શિરસ્તો પડતો જાય છે. અગાઉ તિથિ દાતાઓએ આપેલી તિથિ પ્રમાણે બાળકો ને નાસ્તો આપવા માં આવે છે અને તેની જાણ દાતાશ્રીઓ ને કરવા માં આવે છે