શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા તા. ૧૧/૦૬/૧૯૩૭ ના રોજ એ.વી.હાઈસ્કૂલ ની શરૂઆત કરવામાં આવી. ત્યાર બાદ વર્ષ ૧૯૫૦ માં ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયા નામકરણ કરવામાં આવ્યું. ૧૫/૦૭/૧૯૭૬ ના રોજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના સામાન્ય પ્રવાહના વર્ગની શરૂઆત થઇ. તા.૦૧/ ૦૭/૧૯૭૭ ના રોજ વિજ્ઞાનપ્રવાહની શરૂઆત કરવામાં આવી. તા.૧૦/૦૩/૨૦૦૦ ના રોજ ગોઝારિયા હાઈસ્કૂલનું નામાભિધાન કરવામાં આવ્યું અને નવું નામ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ,ગોઝારિયા રાખવામાં આવ્યું. માધ્યમિક શિક્ષણભવનના દાતાશ્રી તરીકે ગં.સ્વ.જોઈતીબેન કાળીદાસ પટેલ હ.સુપુત્રો: શ્રી કે.કે.પટેલ તથા શ્રી મુકેશભાઈ પટેલ તથા કોમર્સભવન પટેલ શંકરલાલ જીજીદાસ હ.પટેલ હિંમતલાલ શંકરલાલ તથા આર્ટ્સભવન પટેલ શંકરલાલ જીજીદાસ હ.પ્રહલાદભાઈ શંકરલાલ પટેલ.
શાળામાં આજે ધોરણ-૯ ના ૪ વર્ગો , ધોરણ -૧૦ ના ૪ વર્ગો , ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ-વિજ્ઞાન પ્રવાહનો ૧-૧ વર્ગ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ- વિજ્ઞાનપ્રવાહ નો ૧-૧ વર્ગ ચાલે છે. એમ કુલ મળી હાલમાં શાળામાં ધોરણ-૯ થી ૧૨ ના ૧૨ વર્ગો છે. જેમાં કુમાર ૪૯૫ અને કન્યા ૧૨૦ એમ કુલ-૬૧૫ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની સ્થાપનાથી લઇ આજદિન સુધી શાળાએ અનેક ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે. ભવિષ્યમાં પણ અનેક ક્ષેત્રમાં ઝળહળતી સિદ્ધિઓ મેળવીએ તે માટેના અવિરત પ્રયત્નો સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે. જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ અને તેનામાં સંસ્કારસિંચન થાય એ જ શિક્ષણનો મુખ્ય હેતુ છે.બાળકોમાં સ્વતંત્ર વિચારશક્તિ , ચિંતનાત્મક અને સર્જનાત્મક શક્તિ પ્રામાણિકતા ,કરુણા, નેતૃત્વ ,રાષ્ટ્રભાવના જેવા સદ્દગુણોનું સિંચન થાય તેવા સંસ્થા દ્વારા સતત પ્રયત્નો થઇ રહ્યા છે.