આજ તા.28/07/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્ફૂલ,ગોઝારિયાના શ્રી મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે બેઠક મળી. સદર બેઠકમાં કેળવણી મંડળના ટ્રસ્ટી અને અષ્ટદશાબ્દિ મહોત્સવના કન્વીનર શ્રી જયંતિભાઈ એન.પટેલ સાહેબે વાલીઓની બાળકો પ્રત્યેની ભૂમિકા તથા વિદ્યાર્થીઓ માટે કેળવણી મંડળના દ્વારા કરવામાં આવતા પ્રયત્નો વિશે વાત કરી હતી. ચાલુ વર્ષે યોજાઈ રહેલા અષ્ટદશાબ્દિ મહોત્સવની ઉજવણી તથા ભાવિ આયોજનો વિશે ઊંડાણ થી વાત કરી હતી.અને વાલીઓને પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે શિક્ષણના આ પવિત્ર યજ્ઞમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી. મંત્રીશ્રી શૈલેષભાઈ એમ.પટેલ સાહેબે કહ્યું કે બાળકનો સર્વોગી વિકાસ થાય તે પૂરતી સાધન સામગ્રી તથા સગવડો મળી રહે તે માટે કેળવણી મંડળ સતત સજાગ અને પ્રયત્નશીલ છે.
નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબે કહ્યું કે બાળકના સર્વોગી વિકાસ માટે ફક્ત શાળા કે કેળવણી મંડળના પ્રયત્નો જ પૂરતા નથી. વાલીમિત્રો પણ જો પૂરતો સાથ સહકાર આપે તો જ સફળતાના શિખરો સર કરી શકાય તેમ છે. કેળવણી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્યાન બાળકને પ્રોત્સાહક વાતાવરણ મળી રહે તે માટે થયેલ સુંદર પ્રયત્નોની વાત કરી.
શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ સી.ચૌધરી સાહેબે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીના પરિણામ સુધારણા માટે કરવામાં આવતા પ્રયત્નો -અઠવાડિક ટેસ્ટ આયોજન- નબળા વિદ્યાર્થી માટે શરૂ કરવામાં આવેલ કોચિંગના આયોજનની રૂપરેખા તથા સહઅભ્યાસિક પ્રવૃતિઓ વિશે વાત કરી. માર્મિક ઉદાહરણ દ્વારા બાળકની શક્તિ સમજી તેનું લક્ષય નક્કી થાય તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું.વાલી મંડળના પ્રમુખ શ્રી વિનયભાઈ પટેલે પણ પ્રસંગોચિત પોતાની વાત રજૂ કરી.
આજે યોજાયેલ વાલીમિટિગ માં 200 થી વધુ વાલી ભાઈઓ બહેનો હાજર રહયા.અને તેમાંથી MTA/PTA ની રચના કરવામાં આવી. સૌ વાલીઓએ વર્ષ 2018-19 માટે વાલીમંડળના પ્રમુખ તરીકે જોશી યોગેન્દ્રકુમાર અશોકભાઈની સર્વસંમતિથી પસંદગી કરી.
સદર કાર્યક્રમ દરમ્યાન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી જીતુભાઈ પટેલ સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પરિચય આપ્યો.ચિત્ર શિક્ષક શ્રી જશવંતભાઈ સાહેબે વાલી બેઠકના અંશોને કેમેરામાં કેદ કર્યો. શ્રી પારસભાઈ સાહેબે સ્ટેજ સંચાલન અને શ્રી કેતનભાઈ સાહેબે કાર્યક્રમને સફળ બનાવનાર સર્વે નો આભાર વ્યકત કર્યો.