તા. ૨૮ ઓગષ્ટ એટલે રાષ્ટ્રિય શાયર ને મહાન સાહિત્યકાર, પ્રથમ રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ.
આજ રોજ શાળાના પ્રાર્થનાખંડમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ અંતર્ગત પ્રખ્યાત વકતા શ્રી પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ ઠક્કર – થરા (ઉણ) ના વતનીએ મેઘાણી જીવન કવન વિશે ગાયકી દ્વારા સુંદર રજૂઆત કરી હતી. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે સુતરની આંટીથી તથા નિયામકશ્રી નીરૂભાઈ કે.પટેલ સાહેબે શાલથી વકતાશ્રીનું સન્માન કરેલ હતું.