નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાન

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ ના અષ્ટદશાબ્દિ મહોત્સવ નિમિત્તે કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું. તારીખ 16/07/2018 ને સોમવાર ના રોજ નીમા ગલ્સૅ આર્ટસ કૉલૅજ ગોઝારીયા દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મૌન રેલી અને ગ્રામ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં કૉલૅજની 130 જેટલી વિદ્યાર્થિની – બહેનો તથા કૉલૅજ નો સમગ્ર સ્ટાફ જોડાયો. કૉલૅજ ના આચાર્ય…

એન. એસ એસ ઝોનલ વર્કશોપ

એન. એસ એસ. વિભાગના યજમાન પદે ગુજરાત સરકરના ઉપક્રમે પાટણ યુનિ.ખાતે ઝોનલ લેવલના  વકૅશોપમાં ગોઝારિયા નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની બે બહેનોએ ભાગ લઈ કોલેજ તેમજ ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. બંને બહેનોને કેળવણી મંડળ તેમજ કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.   

સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ – વ્યાખ્યાનમાળા

નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કૉલેજીયેટ વુમન ડેવલપમેન્ટ કમિટી (CWDC) ના ઉપક્રમે તા.13/07/2018 ના રોજ વ્યાખ્યાન યોજાયું. વાઈબ્રન્ટ ગતિશીલ ગુજરાત ના સક્રિય કાર્યકર ઝંખનાબેન ત્રિવેદીએ સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ પર પ્રકાશ પાડયો. જેમાં લગ્ન અને કેરિયર વિશેના ઈન્ટરવ્યુ બાબતે રસપ્રદ માહિતી આપી. સાથે સાથે સ્ત્રી ઉપયોગી હેલ્પલાઈનથી અવગત કર્યા. આ પ્રેરણાત્મક વ્યાખ્યાનમાં તમામ વિદ્યાર્થીનિ-બહેનો ઉત્સાહ…

વાલી મિટીંગ અને ઓરી રસીકરણ અભિયાન

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓની વાલી મિટિગ આજ તા. 13/7/2018 ના રોજ શ્રી ગોઝારીયા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જે.એન.પટેલ સાહેબની હાજરીમાં પ્રાર્થનહોલમાં યોજાઈ. સદર મિટીગમાં બળાઓના અભ્યાસની ચર્ચા થઈ. આ ઉપરાંત ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.શ્રી જે.એન.પટેલ સાહેબે પ્રસગોચિત પોતાના વિચારો રજૂ કર્યા.અને 80 વર્ષની ઉજવણી અંગેની રસપ્રદ માહિતી આપી. નિયામકશ્રી એન.કે.પટેલ…

કેળવણી મંડળના હોદ્દેદારો નો સ્નેહ મિલન કાર્યક્રમ

ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત સર્વે સંસ્થાઓના કર્મચારીઓ તથા કેળવણી મંડળના હોદ્દેદારો નો સ્નેહ મિલન કાર્યક્રમ શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલના યજમાન પદે યોજાયો. સદર સ્નેહ મિલન કાર્યક્રમમાં અષ્ટદશાબ્દિ પર્વની ઉજવણીના કાર્યક્રમોની ચર્ચા , શિક્ષણ મુખપત્ર બહાર પાડવા વિચાર વિમર્શ તથા બદલાતા સંજોગોમાં તદુરસ્ત સમાજના નિર્માણ માટે બાળકમાં અસરકારક શિક્ષણ દ્વારા હકારાત્મક મૂલ્યોનું ઘડતર થાય તેવું આયોજન…

પ્રવેશોત્સવ ૨૦૧૮

ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રવેશોત્સવ માં માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ અને ગોઝારીયા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.પટેલ પ્રવેશ અપાવી રહ્યા છે.